મોરબી, આરીફ દીવાન :-
“દેવી ભાગવત કથા જય માતાજી ગુરુ કૃપા દ્વારા આયોજિત”
મોરબી મહેન્દ્રનગર રામ ધન આશ્રમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પશુ પક્ષીની સેવા માનવસેવા સાથે ધાર્મિક કાર્ય અંતર્ગત શ્રદ્ધાપૂર્વક ધાર્મિક કાર્યક્રમો સતત ચાલી રહ્યા એ રામધન આશ્રમ ખાતે ભૂખીયાની રોટલો દુખીયા ને ઓટલો પશુ પંખીને ચણ પાણી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડી સેવા લક્ષી કાર્યોની સાથે ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યા છે એવા રામધન આશ્રમ ખાતે તાજેતરમાં દેવી ભાગવત કથા નું રસપાન સતત આઠ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા જેમાં ઉદ્યોગપતિ વેપારી રાજકીય નેતાઓ અને સ્થાનિક તેમજ વિવિધ મોરબી શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગવત કથામાં હાજરી આપી ભક્તિ ભાવે રંગાયા હતા જે જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ આયોજિત ગત તારીખ 30 1 2023 થી ભાગવત કથા નો શુભ પારંભ કર્યો હતો જે સતત નવ દિવસ સુધી ચાલ્યો હતો તેમાં વિવિધ ધાર્મિક દેવી ભાગવત કથા અંતર્ગત માતાજીની માનવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીક વિવિધ દેવીઓની દેવી ભાગવત કથા અંતર્ગત રસપાન પીરસવામાં આવ્યું હતું જેમાં આશરે ફુલ 272 મી ભાગવત કથા રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે યોજાયેલ છે તેમાં તારીખ 30 1 2023 થી તારીખ 7 1 2023 સુધી ધાર્મિક કાર્યક્રમ દેવી ભાગવત કથા અંતર્ગત રામધન આશ્રમમાં મહાપ્રસાદ મહા આરતી સહિત બળવીદુપી રત્નેશ્વરી દેવી એ ગુરુ ભાવેશ્વરી માતાજીના આશીર્વાદથી સતત નવ દિવસ સુધી મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ધાર્મિક કાર્ય અંતર્ગત ભક્તો ને શ્રદ્ધાપૂર્વક ભક્તિ ભાવે રંગાયા હતા અને દેવી-દેવતાઓના આશીર્વાદ કાયમ રહે તેવા હેતુસર દેવી ભાગવત કથામાં રસપાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં મહંત શ્રી ભાવેશ્વરી માતાજી તેમજ રત્નેશ્વરી દેવી માતાજી તેમજ સંસ્થાના આયોજકો કાર્યકરો મોટી સંખ્યામાં આવેલા મહેમાનોનું ભાવભર સ્વાગત સાથે મહાપ્રસાદ આરતી વગેરે કામગીરી અંતર્ગત સારી એવી દેખરેખ કરવામાં આવી હતી તેમાં રામધન આશ્રમના સેવકો દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ આયોજિત દેવી ભાગવત કથા માં સેવાઓ પૂરી પાડી હતી તેમ એક મુલાકાતમાં મુકેશ ભગત એ જણાવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે