મોરબી,
આરીફ દીવાન
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષિત અને સારી પ્રતિષ્ઠિત લોકોને પરિવર્તન માટે આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રિત કરી રહી છે જેના ભાગ રૂપે મોરબી જિલ્લામાં ચાલો ગાંવ કી ઓર અભિયાન ચાલુ છે આજે મોરબીના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઈ પનારા તેમજ જયસુખભાઈ (જોગીભાઈ)દેસાઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જેમને દિલ્હીથી પધારેલ ઓબ્ઝર્વ શ્રી રામ, જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ.કે.પટેલ, ચંદ્રકાન્ત વિરમગામાં, ગોકલભાઈ પરમાર, પી.એમ.ચીખલયા સહિતના હોદેદારો દ્વારા આવકારવામાં આવેલ.