અરવલ્લીના ભિલોડા ખાતે યોજાશે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

માહે.સપ્ટેમ્બર-૨૦૨૨નો તાલુકા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” મામલતદાર કચેરી, ભિલોડા ખાતે તા.૨૮/૦૯/૨૦૨૨ (બુધવાર) ના રોજ ૧૧:૦૦ કલાકે રાખેલ છે. આ કાર્યક્રમ માટે જાહેર જનતા તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પોતાના પ્રશ્ન/રજુઆત કરવા માંગતા હોય તેઓએ પોતાનો પ્રશ્ન કચેરીના કામકાજ સમય દરમિયાન તા.૧૦/૦૯/૨૦૨૨, સમય ૧૬:૦૦ કલાક સુધી મામલતદાર કચેરી, ભિલોડા ખાતે મળે તે રીતે બે નકલમાં મોકલી આપવાના રહેશે અને અરજદારશ્રીએ જાતે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માં ઉપરોક્ત તારીખે અને સમયે હાજર રહેવાનું રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધ ન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજુ કરવાના રહેશે નહિ. વધુમાં, પ્રથમવાર અરજી કરતાં હોય તેવા પ્રશ્ન પણ રજુ કરવા નહિ તેમજ એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here