ભાટિયા મુકામે શ્રી એલ. એન. પી હાઇસ્કુલ ના શ્રી શ્રી હોલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચાની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ

દેવભૂમી દ્વારકા, પ્રવાસીપ્રતિનિધિ :-

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી તુલસીભાઈ નકુમ જિલ્લા પ્રમુખ શ્રી D. L. પરમાર મહામંત્રી શ્રી ધરણાતભાઈ ચાવડા તથા જેન્તીભાઈ સુરેલા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નગાભાઈ ગાધેર તથા જ્જિલા મત્રીશ્રી ટપુભાઈ સોનગરા તથા જિલ્લાના તમામ મંડળના પ્રમુખશ્રી તથા મહામંત્રી શ્રી ઓ એ હાજરી આપેલ.
જેમાં ભારતીય જનતા પાર્ટીની આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી તેમજ માઈક્રો ડોનેશન બાબતે પણ ચર્ચા કરવામાં આવી ત્યારબાદ ધંધુકા મુકામે તાજેતરમાં કિસાન ભરવાડ અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી જે બાબતને સખ્ત શબ્દોમાં વર્ણવવામાં આવી.
ત્યારબાદ આજે ગાંધી નિર્વાણ દિને બાપુ તથા ભારતના સ્વતંત્ર સંગ્રામ માં શહીદ થયેલા તમામ લોકોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ મૌન રાખવામાં આવ્યું.
ત્યારબાદ બક્ષીપંચ મોરચાની ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગામી પ્રયાસ અંગે ચર્ચા કરવા માં આવી અને છેલ્લે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની મન કી બાત સમૂહમાં સાંભળી ને સભા અહીં પૂર્ણ થયેલી જાહેર કરવામાં આવી. આભારવિધિ શ્રી પાયલબેન વાજા દ્વારા કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here