દેવભૂમિ દ્વારકા, પ્રવાસી પ્રતિનિધિ :-
ભાટિયા મુકામે તારીખ 23/ 4 /2023 અને 24/ 4 /2023 ના રોજ શ્રી એલ.એન.પી હાઇસ્કુલ ભાટીયા તથા ભાસ્કરાચાર્ય લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારકાની ભાગીદારી થી શ્રી એલ એન પી હાઈસ્કૂલ ભાટિયા માં વેકેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે દિવસના સેમિનારમાં વિજ્ઞાનના પ્રયોગ કરીને અંધશ્રદ્ધાથી દૂર રહેવા તથા જ્યાં આવી પ્રવૃત્તિઓ થતી હોય તેને અટકાવવા માટે વિદ્યાર્થીઓને સચેત કરવામાં આવ્યા. વિજ્ઞાનના અવનવા પ્રયોગો દ્વારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે અને અંધશ્રદ્ધાથી દુર જાય તેવા પ્રયોગો કરીને વિદ્યાર્થી તથા સમાજમાં રહેલા બધા જ લોકો અંધશ્રદ્ધાથી દૂર રહે તેવી ભલામણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં જુનાગઢ લોકવિજ્ઞાન કેન્દ્રના ગોવિંદભાઈ ભૂતિયા તથા રાજકોટ લોકવિજ્ઞાન કેન્દ્રના ગૌતમભાઈ લીંબડીયા તથા TCSRDN ના ધવલભાઇ વારગીયા દ્વારા આ બધી બાબતો સવિસ્તાર સમજાવવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ શ્રી ડી એલ પરમાર સાહેબ તથા આચાર્ય શ્રી પ્રિયંકભાઈ પરમાર તથા સમગ્ર સ્ટાફ અને 200 જેટલી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.