ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલની પ્રથમ વખત વર્ચ્યુઅલ રકતતુલા કરવામાં આવેલ…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

આથી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજીનાં પ્રમુખશ્રી રાજેશ આર . બાલધાની યાદીમાં જણાવવામાં આવે છે કે , ટ્રસ્ટ દવારા તા .૦૯ / ૦૧ / ૨૦૨૨ ને રવિવારનાં રોજ સ્વ.ડી.જી.બાલધા તથા સ્વ.અલ્પેશ પેથાણીની સ્મૃતિમાં મહા રકતદાન કેમ્પ કરવામાં આવેલ અને આ કેમ્પમાં ૩૫૦ થી પણ વધુ રકત બોટલ એકત્ર કરવામાં આવેલ . આ મહા રકતદાન કેમ્પમાં સ્વામી નારાયણ મંદિરનાં પુજય મોહનપ્રસાદ સ્વામી તથા ભકતી સ્વામી તથા મહંતશ્રી ભીખુબાપુનાં વરદ હસ્તે દીપ પ્રાગટય કરીને રકતદાન કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ . આ પ્રસંગે પ્રદેશ યુવા ભાજપનાં પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ , પ્રદેશ કારોબારીના સભ્ય વી.ડી. પટેલ , જિલ્લા ભાજપ મંત્રીશ્રી હરસુખભાઈ ટોપીયા , સતિષભાઈ શીંગાળા , વિનુભાઈ માથુકીયા , પરેશભાઈ વાગડીયા , મામલતદારશ્રી જોલાપરા સાહેબ , પી.આઈ.શ્રી ગોહીલ સાહેબ , બાર એસોશીએશનના પ્રમુખ વી.વી. વઘાસીયા , ચંદુભાઈ ચોવટીયા , તેમજ ધોરાજીની તમામ સામાજીક સેવાકીય સંસ્થાઓનાં પ્રમુખશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ . તેમજ આ મહારકતદાન કેમ્પમાં ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર. પાટીલ સાહેબનો રકતતુલાનો કાર્યક્રમ રાખેલ . પરંતુ કોરોના મહામારીમાં વધતા જતા કોરોના કેસોને ઘ્યાનમાં રાખી ૨ કતતુલાનો કાર્યક્રમ બંધ રાખેલ પરંતુ સી.આર. પાટીલ સાહેબની વર્ચ્યુઅલ ( ઓનલાઈન ) થી રકતતુલા કરવામાં આવેલ . તેમજ પાટીલ સાહેબની આ પ્રથમ વખત જ રકતતુલા થયેલ અને તે પણ વર્ચ્યુલથી ક૨વામાં આવેલ . તેનો પાટીલ સાહેબે ટ્રસ્ટનાં પ્રમુખ રાજેશ આર . બાલધા તથા ટ્રસ્ટનાં તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપેલ . આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટનાં કાર્યકર્તા એ . વી . બાલધા , ચેતન બાલધા , શૈલેષ બાલધા , સંજય જાગાણી , જેન્તીભાઈ , દિલીપભાઈ , ગૌરાંગભાઈ , મિલનભાઈ , બાબુભાઈ , પ્રફુલભાઈ , સમીરભાઈ , વિધાનભાઈ , કાળુભાઈ , તુપેશભાઈ , રાજુભાઈ , પિયુષભાઈ , જયેશભાઈ , રાજ , લવ વિગેરે કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here