ભરૂચ નર્મદા જીલ્લાના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દેડિયાપાડામાં શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી

ડેડીયાપડાં,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રદેશ કોંગ્રેસ નાં આદેશ થી દેડિયાપાડા ખાતે જનજાગરણ યાત્રા કાઢી લોકો ને સરકાર ની નિસ્ફડતાઓ થી વાકેફ કરાયા

આજ રોજ દેડિયાપાડા ખાતે રાજ્યસભાના સાંસદ અને ભરૂચ નર્મદા જિલ્લા ના પોનોતા પુત્ર સ્વ. અહેમદભાઈ પટેલ ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા રાખવા માં આવી હતી જે પ્રસંગે સદગત ને કૉંગ્રેસ આગેવાનો એ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂચન અનુસાર નર્મદા જિલ્લા ના દેડિયાપાડા અને સાગબારા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ યાત્રા કાઢવામાં આવી હતી અને ભાજપ સરકાર ની નિષ્ફળતા ને લોકો સમક્ષ ઉજાગર કરવામાં આવી. તેમજ સભ્ય નોંધણી નો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં નર્મદા જિલ્લા પ્રભારી માનસિંગભાઈ ડોડીયા,
નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ, દેડિયાપાડા વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય અમરસિંહભાઈ વસાવા અને દેડિયાપાડા તથા સાગબારા તાલુકાના કોંગ્રેસ સમિતિ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here