બોડેલી વકીલ મંડળ દ્વારા રૂપિયા ૫૧૦૦૦/- હજારની સહાય સ્વ : વકીલ કિરણભાઈએ રાઠવાના પરીવારને…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી  :-

આજ રોજ બોડેલી બાર એસોસિયેશન દ્રારા ભગવાન સત્ય નારાયણ ની કથાનું આયોજન કરવામાં આવેલ જેમાં બોડેલી બાર એશોશિશન ના તમામ વકીલ મિત્રો એ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી ત્યારબાદ ભોજન પ્રસાદીનો પણ તમામ વકીલ મિત્રો એ લાભ્ લીધો
વિશેષ મા આજ રોજ બોડેલો બાર એશોશિએશન્ ના સ્વ :વકીલ કિરણભાઇ અરવિંદભાઇ. રહે ભેસવાહી તેમનું તાજેતર માં અવસાન થયેલું હોય તેઓને અવસાન થી તેમના ઘર પરિવાર ખુબ આઘાત મા હોય આ પરિવાર્ ને ફુલ નઈ ને ફુલ ની પાંખડી રૂપે બોડેલી બાર એશોસિયશેનના વકીલ મિત્રો ના સહયોગ અને બોડેલિ બાર્ અએશોશિયેશન ફંડ માંથી રૂપિયા ૫૧૦૦૦/- બેન્ક ઓફ બરોડા મા ફિક્સ ડિપોઝિટ કરી સ્વ: કિરણભાઇ ના દીકરા અનિરુદ્ધ કુમાર કિરણભાઈ રાઠવા ના નામની ફિક્સ ડિપોઝિટ ની પાવતી આજ રોજ સ્વ: કિરણભાઈ ની ધર્મ પત્ની જીગનીશાબેન કિરણભાઈ નાઓને સુપ્રત કરવા મા આવી અને “બાર કાઉન્સિલ ઓફ ગુજરાત “ તરફ થી મળતી સહાય માટે તમામ કાગળો ની પુર્તાત કરવમા આવી છે અને ટુક સમય માં જ એક પ્રતિનિધિ મંડળ બીસીજી , અમદાવાદ મુકામે જય ફાઈલ સબમિટ કરશે જે પણ મળવા પાત્ર રકમ છે તે તેઓ ને મળશે …*
*જેમાં બોડેલી બાર એશોશિયેશન ના તમામ વકીલ સિનિયર તથા જુનિયર મિત્રો આ કાર્યક્રમમા હાજર રહી બોડેલી બાર એશોશિયેશન ના પ્રમુખશ્રી લલિતચંદ્ર ઝેડ .રોહિત એ સ્વ :વકીલ કિરણભાઇ એ રાઠવા ના પરિવાર ને તમામ વકીલ મિત્રોએ જે આર્થિક સહયોગ કરિયો છે તે બદલ તમામ વકીલ મિત્રો અને હોદેદારો નો આભાર માનીયો.અને ભવિષ્ય માં પણ બોડેલી વકીલ મંડળ સેવા કર્યો કરતા રહેશે તમામ વકીલ મિત્રનો સતત સાથ સહકાર મળતો રહ્યો છે અને રહેશે તેવી પણ આશા વ્યકત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here