બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-
બોડેલી તારીખ 12 10 21ના રોજ બોડેલી અલીપુરા ગરબીચોક ગોપેશ્વર મહાદેવ અને ઢોકલીયા વરસાદ વિરામ લેતા ગરબાની રમઝટ જામી હતી. ઢોકલીયા ગરબીચોક અને અલીપુરા મા ખોડીયાર મંદિરે તેમજ ગોપેશ્વર મહાદેવ મંદિર પાસે આજે સાતમું નોરતું મા અંબાની આરતી આરાધના સાથે બોડેલી ઢોકલીયા અલીપુરા મા ખોડીયાર ચોકમાં રહીશોએ ડિજે. ની તાલે ગરબા રમ્યા હતા સમી સાંજે વરસાદી માહોલ જણાતા ખેલૈયાઓ મૂંઝવણમાં હતા બે કલાક બાદ વરસાદ વિરામ લેતા ગરબાની રમઝટ જામી હતી અને ખેલૈયાઓ મન મૂકીને મા અંબાના નવલી નોરતા ના ગરબામાં ખૂબ જ આનંદ ઉલ્લાસ ખુશીના માહોલમાં જોવા મળ્યા હતા અને નવરાત્રી શાંતિપૂર્વક ઉજવાઈ હતી.