બાકરોલ વસાહત મા પત્ની સાથે આડા સંબધ નો અંજામ ! પતી એ લોખંડ નાં ડાઘ વડે આધેડ ની હત્યા કરાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ વસાહત ૨ માં સજનસિહ નરવતસિંહ દરબારના મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં સોમવારની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો કાલોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદની વિગતો જોતા લક્ષ્મણભાઈ નારસિંગભાઈ રાઠવા ઉ. વ.૫૫ નાઓ સોમવારે રાત્રે સુરેખાબેન વિક્રમભાઈ મેઘજીભાઈ રાઠવા ની સાથે સજ્જનસિહ ના મકાનની બહાર ઉભા હતા ત્યારે સુરેખાબેન નો પતી વિક્રમભાઈ મેઘજીભાઈ રાઠવા ત્યાં આવી પહોંચ્યો હતો અને લક્ષ્મણભાઈ સાથે બોલા ચાલી કરવા લાગ્યો હતો પોતાની પત્નીને લક્ષ્મણભાઈ સાથે આડા સંબંધો છે તેવો વહેમ રાખી લક્ષ્મણ ની સાથે ઝઘડો કરી મકાનનું કામ ચાલતું હોવાથી સળિયા વાળવા માટે રાખેલ લોખંડ નો ડાઘ ત્યા પડેલો હતો જે ડાઘ લઈ ને વિક્રમ લક્ષ્મણભાઈ ના માથાના પાછળના ભાગમાં મારી દીધેલો જેથી લક્ષ્મણભાઈ લોહી લુહાણ થઈ ત્યાં જ ઢળી પડેલા બનાવ અને બોલાચાલી જોઈ સુરેખાબેન પોતાના છોકરાઓને લઈને ત્યાંથી બાજુમા જતા રહેલા અને રાત્રિના સુમારે પરત આવીને લક્ષ્મણભાઈ ને બોલાવતા તેઓ કોઇ જવાબ આપતા ન હતા આ સમગ્ર ઘટના સુરેખાબેન દ્વારા મૃતક લક્ષ્મણભાઈ ના ભત્રીજા મહેશભાઈ રમણભાઈ રાઠવા ને જણાવેલ. મહેશભાઈ રમણભાઈ રાઠવા રે નાથપુરા તા ઘોઘંબા ની ફરીયાદ આધારે કાલોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પીએસઆઈ એન આર રાઠોડ દ્વારા તપાસ હાથ ધરી આરોપી વિક્રમભાઈ મેઘજીભાઈ રાઠવા રે કાલસર તા ઘોઘંબા ની અટકાયત નાં ચક્રો ગતીમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here