પોલીસના બાતમીદારનો વહેમ રાખી નર્મદા જીલ્લાના નિગટના યુવાનને માર મારતા પોલીસ મથકમાં ફરિયાદ

રાજપીપળા,(નર્મદા) આધિક પઠાણ :-

ગણેશ વિસર્જન ટાંણે આવેલા તયારે આરોપીઓ ની પોલીસ ને બાતમી આપ્યાની શંકા

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના સામરપાડા ગામ ખાતે ગણેશ વિસર્જન ટાંણે ગયેલ નિગટ ના યુવાન ની પોલીસ ને બાતમી આપ્યા ની શંકા રાખી બે યુવાનો એ ભેગા મળી એક યુવાન ને માર મારી ઇજાગ્રસ્ત કરતા દેડિયાપાડા પોલીસ મથકમાં બે યુવાનો સામે ગુનો દાખલ થયો હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ ની વાત કરીએ તો ગણેશ વિસર્જન ટાંણે આરોપી મનોજ મગનભાઈ વસાવા રહે. નિગટ તા. દેડિયાપાડા નાઑનો સામરપાડા ગામ ખાતે ગયો હતો જેની જાણ પોલીસ ને થઇ હતી આ મામલે આરોપી એ નિગટ ગામ ના ફરિયાદી અવિનાશ મનસુખભાઈ વસાવા ઉપર શંકા રાખી હતી કે પોલીસ ને બાતમી આપી જેથી અવિનાશ વસાવા મોસકુટ અને જામબાર ગામ તરફ ના માર્ગ ઉપર થી પસાર થતા તેને રોકી ને તુએ પોલીસ ને બાતમી આપી એમ કહી લાકડી ના સપાટાએથી માર મારતા ફેકચર કરતા દેડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદી એ આરોપી 1) મનોજ મગનભાઈ વસાવા રહે. નિગટ અને 2) લાલસીંગ ઉર્ફે લાલો દલસુખ વસાવા રહે. સામરપાડા ( થપાવી ) સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બનને આરોપી સામે ફરિયાદ નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here