પોરબંદર જિલ્લાના ફોજી જવાન આર્મીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પોતાના માદરે વતન પરત ફર્યા

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

અશોકભાઈ સોમાભાઈ વારગીયા યુનીટ આર્ટ લરી હવાલદાર તરીકે 24 વર્ષ ભારતીય સેના મા ફરજ બજાવતા હતા હવે તેવો તારીખ 02/11/2021 ના રોજ ચોવીસ વર્ષ ની નોકરી કરી પોતાના વતન મા હેમખેર પરત ફર્યા આ શુભ પ્રસંગે ફોજી જવાન ને સમસ્ત પોરબંદર જિલ્લાની જનતા એ તેમજ સગા સંબંધી તથા પોરબંદર ના આગેવાનો અને રિટાયર્ડ ફોજી જવાનો યે પણ સન્માન કર્યું હતું અને પોરબંદર રેલવે સ્ટેશન થઈ ફોજી જવાન ને ફુલ હાર થી સન્માન કરી ને સ્વાગત કરી ને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય ફોજી જવાન નો એ જણાવેલ કે 24 વર્ષ પુર્ણ કરીને આજે મારા વતન પરત ફર્યા છુ ત્યારે પોરબંદર ની જનતા એ ખુબજ સારૂ સન્માન કર્યું છે અને અશોકભાઈ સોમાભાઈ વારગીયા તરફથી પોરબંદર ની જનતા ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here