પાવીજેતપુર, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટા ઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકા ના ભારજ નદી ના બ્રિજ પર વાહન વ્યવહાર બંધ થયે આજે એક મહિનો થવા આવ્યો છે જેને જઈ જિલ્લા ની જનતા માં બ્રિજ ને લઈ અનેક સવાલો મન મા ચાલી રહ્યા છે હાલ છોટા ઉદેપુર જિલ્લા ની તેમજ પાવીજેતપુર બોડેલીના આજુબાજુ ગામડાઓ ની જનતા ને ખુબ લાંબુ અંતર કાપીને પાવી જેતપુર થી બોડેલી માટે અવર જવર કરવી પડી રહી છે જેમાં ડ્રાઈવરજન ખૂબ લાંબુ હોય તો બ્રિજ ની બાજુમાંજ ડ્રાઈવરજન આપવામાં આવે તેવી માંગ સાથે કોંગી કાર્યકરો દ્વારા આજરોજ પાવીજેતપુર વન કુટીર ત્રણ રસ્તા પર રસ્તા લોકો આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ આ આંદોલન શરૂ થાય તે પેહલા તેઓ ની અટકાયત કરી દેવામાં આવી હતી જેમાં પૂર્વ વિરોધ પક્ષ ના નેતા સુખરામભાઇ રાઠવા તેમજ જગાભાઈ રાઠવા સહિત કોંગ્રેસ કાર્યકરો ની આંદોલન કરતા પહેલા અટકાયત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આંદોલન સમેટાઈ ગયું હતું.