પાટણ : શંખેશ્વર સમીપે ગામોમાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે સેવા સમર્પણ ની ભાવના સાથે કાર્યરત શ્રી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંથકના જરૂરિયાત મંદ લોકોને અનેક રીતે મદદરૂપ બનવાની સેવાકીય પ્રવૃત્તિ પંથકના લોકો મા સરાહનીય બની છે.
શંખેશ્વર તીર્થ સમીપે આવેલ ગામોમાં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પરિવારોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું.જેમાં તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા ની પાવન પ્રેરણાથી શંખેશ્વર મહાતીર્થે સમીપે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક પરિવારોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવેલ.આ મીઠાઈ વિતરણના લાભાર્થી સ્વ.વિનોદ ધનજી ભાણજી દેઢિયા ગામ કચ્છ-કોડાય,શ્રીમતિ પ્રીતિબેન હેમંતભાઈ શેઠ અમેરિકા,શ્રીમતિ મિત્તલબેન સંજયભાઈ પાંચણી ગામ-થરા,શ્રીમતિ વંદનાબેન દિલીપભાઈ મહેતા ગામ-ખેડબ્રહ્મા,બરસાત ટેલિકોમ કચ્છ-કોડાય, એક ગુરુભક્ત પરિવાર-શંખેશ્વર, સુનંદા સાઇનીંગ ગ્રુપ-ચોપડા પરિવાર-રાજસ્થાન આદિ પરિવારોએ પોતાની સંપત્તિ નો સદ્ ઉપયોગ કરી ઉદાર દિલે સુંદર લાભ લીધેલ.આ મીઠાઈ નું વિતરણ ચેરમેનશ્રી કર્મ વીરાંગના,દિન દુખિયાના બેલી, સેવાભાવી શ્રીમતી જીજ્ઞાબેન શેઠે પોતાનો કિંમતી સમય કાઢી ઉપસ્થિત રહી વિતરણ કરેલ.આ પ્રસંગે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરિવારે દરેક દાતા પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરેલ.
શંખેશ્વર જેવા વઢીયાર પંથકમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી શ્રી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની.પંથકના જરૂરિયાત મંદ લોકોને શિયાળાની ઠંડીમાં ધાબળાઓનું વિતરણ તેમજ રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જેસડા,રૂની,મોટી ચંદુર, થરા, રાજસ્થાન મીરપુર વિગેરે ગામોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here