પંચમહાલ જિલ્લામાં પૂર્વ પરવાનગી સિવાય ચાર કરતા વધુ વ્યકિતઓનાં એકત્રિત થવા અને સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં લઈને પ્રતિબંધાત્મક હુકમો

પંચમહાલ જિલ્લામાં જાહેર થયેલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમગ્ર પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, મતદારો નિર્ભયપણે મુક્ત રીતે મતદાન કરી શકે, ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ્શાંતિનો ભંગ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી સુજલ મયાત્રા (આઈ.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તા.24.12.2021 સુધીની મુદત સુધી સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ૪(ચાર) કરતા વધુ વ્યકિતઓનાં એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસો કાઢવાને પ્રતિબંધિત કરતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે.
આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નનાં વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને કે સ્મશાન યાત્રાઓને લાગુ પડશે નહી. સભા સરઘસની મંજૂરી આપવા સક્ષમ અધિકારી તરીકે સંબંધિત મતદાર વિભાગનાં ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીને ને અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતનાં ફોજદારી અધિનિયમ- 1951ની કલમ- 135 અને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here