પંચમહાલ જિલ્લામાં કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિનું કુદરતી કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં રૂ.૨૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર

ગોધરા,(પંચમહાલ)
સાજીદ શેખ

ગરીબી રેખા નીચે ૦ થી ૨૦નો સ્કોર ધરાવતા પરિવારો આ યોજના હેઠળ સમાવિષ્ટ થશે

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (સ્ત્રી કે પુરૂષ)નું કુદરતી રીતે અથવા અકસ્માતે મૃત્યુ થાય તે કુટુંબને લાભ મળવાપાત્ર છે. મૃત્યુ પામનાર પુરૂષ કે સ્ત્રીની ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. સહાય માટે અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવાની રહેશે. મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક વખત રૂ. ૨૦,૦૦૦/- ની સહાય ડી.બી.ટી. મારફતે એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. આ યોજનાની સહાય મેળવવા માટે શહેરી કે ગ્રામ્ય વિસ્તારના સંબંધિત તાલુકા મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારીયાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here