ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા કેસની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે જિલ્લામાં કોરોનાનો એકમાત્ર નવો કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટીવ સક્રિય દર્દીઓની સંખ્યા 08 થવા પામી છે. યાદીમાં જણાવ્યા અનુસાર આજે 18થી વધુ વયની 301 વ્યક્તિઓને કોવિડ-19 પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. અત્યાર સુધી 18થી વધુ વયનાં વ્યક્તિઓમાં પ્રથમ અને દ્વિતીય મળીને કુલ 25,88,807 ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 1,91,014 જેટલા 18થી ઓછી વયનાં બાળકો રસી આપીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે.