પંચમહાલ જિલ્લાના જાહેર ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓને ફાળાની રકમ ભરવા માટે સૂચન કરાયું

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી,ગોધરાના ઇ/ચા મદદનીશ ચેરિટી કમિશનરે એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ચેરિટી કમિશનર ગુજરાત રાજય અમદાવાદની સુચના મુજબ સરકારમાં નોંધાયેલા જાહેર ટ્રસ્ટોના બાકી ફાળો વસુલ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે.જે આગામી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી ગોધરા ખાતે ફાળાની રકમ ભરી જવા જણાવવામાં આવ્યું છે.

આ અંગે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી,ગોધરાના ઇ/ચા મદદનીશ ચેરિટી કમિશનર શ્રી ડી.જે.મેકવાને જણાવ્યું છે, કે અગાઉના વર્ષના ફાળાની રકમ ભરવાની બાકી રહેતી હોય તેવા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓએ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં ટ્રસ્ટોના ફાળાની બાકી રકમો માટે ચેક/ડીમાન્ડ ડ્રાફટ/રોકડા મદદનીશ ચેરિટી કમિશનર,ગોધરાના નામે જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ચેરિટી ભવન,મારૂતી નગર બલાજી-૨ની પાછળ કોર્મસ કોલેજ પાસે બામરોલી રોડ,ગોધરા ખાતે ફાળાની રકમ ભરી જવા ટ્રસ્ટીઓને જણાવવામાં આવે છે.

વધુમાં બાકી ફાળો વસુલ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ફાળો ભરવાની નોટીસ અધિનિયમની કલમ-૫૮,૫૯ અન્વયે કાઢવા છતાં પણ બાકી રકમનું ચુકવણું ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં ન આવે તો તેવા ટ્રસ્ટો/ટ્રસ્ટીઓ વિરુધ્ધ અધિનિયમની કલમ-૬૬-૬૭ અન્વયે આગળની ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here