શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ તારીખ ૦૧/૦૫/૨૦૨૨ના રોજ આયોજન દાહોદ ખાતે રાખવામાં આવેલ છે જેના ભાગરૂપે શહેરા શહેર તાલુકા કોંગ્રેસના કાર્યકરો ની મહત્વની મિટિંગ રાખવામાં આવી
શહેરા મુકામે પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ અને પંચમહાલ જિલ્લાના પ્રભારી શ્રી યુનુસ પટેલ ની ઉપસ્થિતિ એ યોજાયેલ જેમાં શ્રી યુનુસ પટેલે ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું પ્રદેશ સમિતી ના માર્ગદર્શન મુજબ યોજાયેલ મીટીંગ માં જિલ્લા પ્રમુખ અજિત સિંહ ભટ્ટી, પ્રદેશ મંત્રી રફીક તીજોરી વાલા, તાલુકા પ્રમુખ એ પી પટેલ, શહેર પ્રમુખ ફારોક મોગલ, જીલ્લા લઘુમતિ પ્રમુખ ઈમ્તિયાઝ સૂજેલા, યુવા પ્રમુખ મિકી જોસેફ, શહેરા આગેવાન તખ્તસિંહ સોલંકી, દુષ્યંત ચૌહાણ, પી કે ચૌહાણ, રંગીતસિહ શહેરા તાલુકા વિરોધ પક્ષ નેતા જે.બી.સોલંકી,પીકે ચૌહાણ નટુકાકા અજીતભાઈ શેખ સાજીદ વલી અમીનભાઇ શેખ અબ્દુલ ભાઈ જાડા સહિત નગર પાલિકા સભ્યો, પંચાયત ચૂંટણી લડેલા સભ્યો, આગેવાનો એ ઉપસ્થિત રહી મોટી સંખ્યા માં જોડાવા સંકલન કરેલ છે.