ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની પૂર્વ તૈયારીઓની ચર્ચા કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં આગામી ૨૦ નવેમ્બરથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથો ગામે ગામ ફેરવવામાં આવશે આ સાથે સાથે ૧૭ થી વધુ યોજનાનો લાભો ગ્રામ્ય લોકોને આપવા વિવિધ કેમ્પ પણ યોજાવાના છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા અને જિલ્લાના સંલગ્ન તમામ વિભાગોના અધિકારીઓ અને તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.