નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી તાલુકાના સાંકળ પી. પંચાયત ના સરપંચ હારતા કુપ્પા પ્રાથમિક શાળામાં તેમજ ખેંદા ગામેથી બોર માંથી મોટર કાઢી ગયા હતા જેમાં ગામ લોકોને ધમકી આપી હોવાનો આક્ષેપ કરેલ છે સાંકળ પી. ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી મા રાસુલભાઈ તેલીયાભાઈ ને 1408 મત મળ્યા હતા જ્યારે ચાલુ સરપંચ તાજીયાભાઈ ધાલીયાભાઈ ને 1205 મત મળ્યા હતા રાસુલભાઈ વિજેતા થતા હારેલા ઉમેદવારે તેવોના મત વિસ્તારમાં કુપ્પા ગામે પ્રાથમિક શાળાનો બોર્ડ તથા નળ વીજ મીટર તોડી નાખ્યું હતું જ્યારે ખેંદા ગામ થી પીવાના પાણીના બોર માથી મોટર કાઢી ગયા હતા ગામ લોકોને ધમકાવ્યો હોવાનો આક્ષેપ થયો છે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં આદિવાસી વિસ્તારમાં પરિણામના બીજા દિવસથી વેર ઝેર શરૂ થઈ ગયું છે હજુ પણ ઊંડાણ ના ગામડાઓ માં પરિણામોને લઈ વિવાદ ચાલી રહ્યો છે