નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
નસવાડી માં કોરોના પોઝીટીવ આવતા ગામ માં ડર ફેલાયો
નસવાડી નગરમાં કોરોના ની એન્ટ્રી થઈ છે નસવાડી ના મેમણ કોલોની વિસ્તારમાં નૂરનગર મા રહેતા એક વ્યક્તિ ને કોરોના પોઝીટીવ આવ્યા છે જે ભરૂચ ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ તેમને સારૂ નોતું લાગતું અને એમની ફરિયાદ માથું દુઃખવાની હતી અને તેમને એન્ટીજન ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો છે અને ત્યાં આરોગ્યની ટિમ પહોંચી હતી અને તેમને હોમ કોરનટાઇન કરવામાં આવ્યા છે અને ગઈ કાલે તણખલામાં એક કેસ પોઝીટીવ આવ્યો હતો અને નસવાડીમાં કોરોનાની ત્રીજી લહેર એ એન્ટ્રી કરી દીધી છે તો હજુ પણ સાવચેતીના પગલાં લેવા જોઈએ અને તંત્ર ની રાહ જોવાની જરૂર નથી પોતે સાવચેતી રાખવાની જરૂર છે અને હજુ પણ કાળજી નઈ રાખવામાં આવે તો આગળ ઢગલા બંધ કેસો જોવા મળશે આપડે જોઈ રહ્યા છે કે હજારોની સંખ્યા માં કોરોના વધેછે છતાં પણ કેર લેવામાં આવતી નથી જાગો પ્રજાજન જાગો આટલી સરકાર જાહેરાત કરેછે કે માસ્ક પહેરો સોસીયલ ડિસ્ટન્ટ રાખો પણ કોઈ અસર દેખાતી નથી અને હવે નસવાડીમાં કોરોનાએ પગપેસારો કર્યો છે તો સાવધાન રહેવાની જરૂર છે અને નસવાડી માં કોરોનાએ એન્ટ્રી કરીછે એટલે તંત્ર પણ કડક પગલાં લેશે તો કોરોના થી બચવું એ બહુ જરૂરી બન્યું છે.