નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
ગતરોજ નસવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્રારા દાંડી યાત્રા નીકળી હતી જેમા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યાં હતાં જે યાત્રા મા ચૈતર વસાવા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ચૈતર વસાવા એ જણાવ્યું કે જે રીતે મહાત્મા ગાંધીજી મીઠા પર કર નો કાયદો લાવ્યા હતા અંગ્રેજો સામે જે દાંડી યાત્રા કાઢવામાં આવી હતી દાંડી થી લઈ સાબરમતી સુધીની કુચ કરી હતી તેવીજ રીતે અમે સાબરમતી થી લઈ દાંડી સુધી કુચ કરી રહ્યા છે અને આ યાત્રાને ચોથો દિવસ છે અમે નર્મદા જિલ્લાના કેવડીયા થી નીકળી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મા પધારેલા છે ત્યારે અમારી સાથે હજારો લોકો જોડાયા છે સરકારને અમે કહેવા માંગીએ છે કે અમારા લોકો પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવે છે બી.એ બી.એડ ટેટ ટાટ પાસ કરાવે છે જ્યારે અમારાં આદિવાસી લોકોને શિક્ષક બનવાનો વારો આવેછે ત્યારે સરકાર કેમ અન્યાય ભરી નીતી અપનાવે છે અને કેમ કરાર આધારિત ભારતી કરેછે જે પણ જ્ઞાન સહાયક શિક્ષકોની જે કરાર આધારિત ભરતી કરોછો એનો આમ આદમી પાર્ટી એ સખત વિરોધ કાર્યો છે અને સરકારને જાણ થાય કે આ જ્ઞાન સહાયક ની યોજનાને બંધ કરી કાયમી ભરતી કરે તેવી અમારી માંગણી છે જો આવી કોન્ટ્રાકટ વાડી નીતી નો અત્યારે વિરોધ નહી કરો તો આગામી તલાટી પોલીસ મામલતદાર ટી ડી ઓ ની ભરતી પણ કરાર આધારિત કરશે માટે તમે આ રેલીમાં જોડાવાની અપીલ ચૈતર વસાવા દ્રારા કરવામાં આવી હતી વધુમા ચૈતર વસાવા એ દારૂ વિશે વાત કરતા જણાવ્યું કે ભાજપ સરકાર મા અમારા વિસ્તારમા ભાજપના નેતાઓ બુટલેગર છે ભાજપના યુવા મોરચાના નેતાઓ પણ દારૂનો ધંધો કરેછે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા આટલી છૂટ થી દારૂ વેચાય છે જેમા પોલીસ હપ્તા ખાઈ ને ભાજપના નેતાઓ સાથે મળી દારૂનો ધંધો કરેછે અને આ દારૂ છેલ્લી કક્ષાના પ્લાસ્ટિકના બોટલો મા વેચાણ થાય છે જે યુવા પેઢીને ખલાસ કરી નાખશે એના કરતા સરકારને અમે એટલુ કહેવા માંગીએ છે કે દારૂ ની છુટ આપી દેવી જોઈએ તો સારી ગુણવત્તાનો દારૂ મળે અને જેને પીવુ હોય તે પીશે અને ના પીવુ હોય તે જાય આમ ચૈતર વસાવા એ ભાજપ નો વિરોધ ભરતી બાબતે અને દારૂ ને લઇ આકરા પ્રહારો કર્યા હતા.