નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા અર્થે દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ અનુભવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર શ્રદ્ધાળુઓ માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરીને મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.
નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલ, નાંદોદના મામલતદાર પી.એલ.ડીંડોર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓએ શહેરાવ ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરીને શ્રદ્દાળુઓના મંતવ્યો પણ જાણ્યા હતા.