મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ સ્વાગત સાથે સન્માન કરી એકતાનો આપ્યો સંદેશ

મોરબી, આરીફ દીવાન :-

મોરબીમાં સમસ્ત મોરબી જિલ્લા ચુંવાળીયાકોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે જડેશ્વર મંદિર થી મોરબી બે સામા કાંઠે સોઓરડી ખાતે આવેલી ચુંવાળીયા કોળી સમાજની બોર્ડિંગ સમાપન બાદ શોભાયાત સંબોધન મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમય દરમિયાન મોરબીના નટરાજ ફાટક પાસે શોભાયાત્રા નું ભાવ ભર્યું એકતા ના પ્રતીક દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ ફૂલહાર સાથે સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બલોચે પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજેદાર એ એકતા ના સંદેશ સ્વરૂપે ઠંડા પાણી વિતરણ કરી ફૂલહાર થી સ્વાગત સાથે સાથે સાલ ઓઢાડી સન્માન કર્યું હતું જેમાં દલિત મુસ્લિમ સમાજના યુવાનો જોડાયા હતા અશ્વિનભાઈ ટુંડિયા રમેશભાઈ ચૌહાણ સલીમ બાપુ પીરજાદા આરીફ દિવાન સહિત જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાને પ્રમુખ આરીફ ભાઈ બલોચે આ કોમી એકતાને સંદેશ સ્વરૂપે સર્વે શ્રી સંત શ્રી વેલનાથ બાપુ ની સભા યાત્રાના યાત્રીઓને આવકાર સાથે સન્માન કરી એકતાનો સંદેશ પાઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here