કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-
ગુજરાતના 20 જિલ્લાઓના 35 જળાશયો, 1200 જેટલા તળાવો, 1000 થી વધુ ચેકડેમમાં 453 બિલીયન લીટર પાણી ભરાશે
રાજયભરમા પાણી પહોચાડવા નર્મદા કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, અને સૌની યોજનાના નેટવર્કનો થશે ઉપયોગ
રાજ્ય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ના પાણી નર્મદા ડેમ ના કમાન્ડ એરિયામાં પહોચાડવા માટે રાજય સરકારે પહેલ કરી છે. નર્મદા ડેમ ના પાણી સમગ્ર કમાન્ડ એરિયામાં પહોંચતા ખેતી સહિત પીવાના પાણીની સમસ્યા દૂર થશે.
ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે અખાત્રીજ થી આગામી મહિના ની 30 જૂન સુધી સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.હાલમાં નર્મદા ડેમની મુખ્ય કેનાલ માંથી રોજનુ 15000 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચાડવામાં આવી રહયું છે. આ નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવેલ ઐતિહાસિક નિર્ણયો માનો એક કહી શકાય કારણ કે સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણ બાદ ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો મા અબજો લીટર પાણી ભરાશે જે રાજય ના ખેડુતો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે.સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.
ગુજરાત સરકાર નર્મદા કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, અને સૌની યોજના નેટવર્કનાતેમજ રાજય ની અન્ય કેનાલો ના માધ્યમથી અખા ત્રીજથી 30 મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.ઉનાળો ચાલુ થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઉભી થતા આ નિર્ણય લેવાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે 30 મી જૂન સુધીના સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામા સરદાર સરોવરપ્રોજેક્ટ- ઉનાળું સિંચાઇ માટે ગુજરાતના 20 જિલ્લાઓમાં 35 જળાશયો, 1200 જેટલા ગામ તળાવો અને 1000 થી વધુ ચેકડેમો હાલમાં 453 બિલીયન લિટર પાણીથી ભરાઈ રહ્યા છે.જે ગરમી થી ખેતી ના પાક ને નુકશાન થવાથી બચાવસે, અને ખેડુતો ના પાક ને રક્ષણ આપી સારી ઉપજ કરાવસે.
સરદાર સરોવર નર્મદા ડેમ ના એમ. ડી. રાજીવકુમાર ગુપ્તા એ સંપુર્ણ માહિતી પોતાના ટવિટર ઉપર શેર કરી જણાવી હતી.