નર્મદા જીલ્લામા આમ આદમી પાર્ટીના નવનિયુક્ત હોદ્દેદારોનું ધારાસભ્ય ચૈતર વસાવાએ સન્માન કર્યુ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે યોજાયો કાર્યક્ર્મ

આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજવાની હોય રાજકિય પક્ષો માં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે, નર્મદા જીલ્લા ના ડેડીયાપાડા વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ વિજય પ્રાપ્ત કર્યો હોય આદીવાસી વિસ્તારો માં આમ આદમી પાર્ટી ની ગતિવિધિઓ તેજ બની છે, આદીવાસીઓ ને પાર્ટી તરફ આકર્ષવા હોદ્દા ઓની લહાણી કરવમાં આવી રહી છે. નર્મદા જીલ્લા માં પાર્ટી એ હોદ્દેદારો ની નિમણુક કરી હોય તેમનાં ઉત્સાહ ને વધારવા માટે તેઓનું સન્માન ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ની ઉપસ્થિતી મા રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો સાથે સ્નેહમિલન અને શુભેચ્છા મુલાકાત કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તેમજ નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઇ વસાવા અને જિલ્લાના પ્રભારી તેજસભાઈ પટેલ ની ઉપસ્થિતી મા નવનિયુક્ત નર્મદા જિલ્લાના હોદ્દેદારો ને ફૂલહાર પહેરાવી તેમનું પુષ્પગુચ્છ અર્પણ કરી તમામ હોદ્દેદારો નું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે આમ આદમી પાર્ટીના નવનિયુકત હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here