કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-</strong
આજરોજ વિશ્વ શિક્ષક દિન નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ કુમાર શાળા ખાતે “શિક્ષકોને વંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆતમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી શાળાના શિક્ષકો તથા બાળકો સાથે પ્રાર્થનામાં જોડાયા તથા દરેકના જીવનમાં શિક્ષકનું કેટલું મહત્વ છે તે સમજાવી ઉપસ્થિત તમામ શિક્ષકોને વંદન કરી શિક્ષક દિનની શુભેચ્છાઓ પાઠવી.
શાળાના આચાર્ય રાકેશ ભાઈ ઠાકરે શિક્ષક દિન બાબતે જાણકારી આપી. શાળાના શિક્ષક જયદીપ ભાઈ એ શિક્ષણને લગતા દરેક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી શિક્ષકોને યાદ કરીને તથા શિક્ષકોની સાથે બેસીને પ્રોત્સાહન પુરું પાડવામાં આવે છે તે બદલ નરેન્દ્ર મોદી વિચાર મંચનો આભાર માન્યો.