ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
ધોરાજીના પ્રાચીન પ્રસિદ્ધ એવા શ્રી ચેતન્ય હનુમાનજી આશ્રમ અખાડા ખાતે દિવાળી પર્વ નિમિત્તે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજના સાનિધ્યમાં ૧૧૦૦૦ દિપકની જ્યોત સાથે મહા આરતી યોજાઈ હતી આ તકે શ્રી દિગંબર લાલુગીરીજી મહારાજે દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે દેશમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.