ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-
શહેરના કુંભારવાડા વડલી ચોક ખાતે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાના નાના બાળકોને ગયા વર્ષની ની જેમ આ વર્ષે પણ કોરોના ની ગાઈડલાઈન મુજબ તથા માસ્ક પહેરી નાના બાળકોને પતંગ તથા બિયું ગ લ વિતરણ કરવામાં આવ્યા હતા.
જેમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજેશભાઈ બાલધા દ્વારા નાના બાળકોને કોરોનાની મહામારી થી બચવા અપીલ કરવામાં આવી હતી અને ઉડતી પતંગો લૂંટ વા ના જવું તથાપતંગ ઉડાડતી વખતેકોઈ જાનહાનિન થાય તેની કાળજી રાખવી અને સેનીટાઇઝર તથા માસ્ક પહેરવું તેવી અપીલ પણ કરાઈ હતી 2500જેટલી પતંગો તથા બિયુગલોવિતરણ કરાયા હતા જેમાં તુલસી ના કાર્યકર્તાઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.