ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ફરિયાદને લઈને છોટાઉદેપુરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું… આપ દ્રારા ગુજરાત વ્યાપી આંદોલનની ચીમકી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આદિવાસી સમાજના લોકપ્રિય યુવા નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો કેસ શું ખોટો છે..!!?

ડેડીયાપાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હાલ ચૈતરભાઈ વસાવાના સમર્થકો દ્રારા ડેડીયાપાડામાં જડબેસલાક બંધ પાડવામાં આવ્યું છે, જેને લઈને રાજકીય માહૌલ પણ ગરમાયો છે.
આખી ઘટના આમ છે કે જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો.
વિસ્તારના લોક પ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પાસે આવી.
ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને માથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો.
સમાધાન રૂપે રાજીખુશીથી નક્કી થયું કે જંગલ વિભાગના કમર્ચારીઓએ શરતચુક કે અન્ય જે કોઈ કારણથી ખેડૂતોને નુકશાન કર્યું છે તે ભરપાઈ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલાં નહિ ભરે જંગલ વિભાગના કમર્ચારીઓએ નુક્શાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું,
પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી,
જે રકમ સહમતીથી નુક્શાનની ભરપાઈ તરીકે ચૂકવાઈ હતી તેને બળજબરીથી લેવાયેલી ખંડણી તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી,
પોલીસે ચૈતરમાઈ વસાવા, એમના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
સમગ્ર ઘટના ને લઈને આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા અને અન્ય આપ સમર્થકોએ મળીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર મારફત ગુજરાત સરકાર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ઘટના નું વર્ણન કરવામાં આવ્યું છે અને સાથેજ આવેદનપત્રમાં જણાવાયું છે કે આ આખી ઘટના, ચૈતરભાઈ જે રીતે લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે, નર્મદા પૂરની માનવ-સર્જિત આફત વખતે એમણે જે રીતે લોકોના પડખે ઉભા રહી સેવાઓ આપી અને નાનામાં નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે એની ઈર્ષાથી ઉભી થઇ હોય એવું દેખાય છે.
અથવા, ધારાસભ્ય તરીકે ચૈતરભાઈની સક્રિયતાથી સ્થાનિક તંત્રના ભ્રસ્ટાચાર અને ગેરરીતિઓ ઉપર જે અંકુશ આવ્યો છે, નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે તેવા લોકોએ ઉપજાવેલુ આ ષડયંત્ર દેખાય છે.

આગળ લખ્યું છેકે આ બાબતે એ રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમ્યાનગીરી કરો, મામલાની ન્યાયિક તપાસ કરાવો અને ત્યાં સુધી ધરપકડો ઉપર રોક લગાવો.

જે રીતે આયોજનબદ્ધ આખો મામલો ઉપજાવવામાં આવ્યો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજમાં મહત્વનો મુદ્દો બનશે. આ માત્ર ચૈતરભાઈ વસાવાને નથી ફસાવાઈ રહ્યા, ગુજરાતના વંચિત આદિવાસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવી રહ્યો છે, બદનામ અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે અને એના સ્વાભાવિક રાજકીય પ્રત્યાઘાતો પડશે.

આગળ તેઓએ ચીમકી આપતા કહ્યું છે કે આ બાબતે તાત્કાલિક આપ સાહેબ દરમ્યાનગીરી કરો, અન્યથા આમ આદમી પાર્ટી તરીકે અમારે આ મુદ્દાને લઈને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે જે કોઈને માટે શોભતું નહિ હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here