તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ
પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી બુધ્ધીસાગર જેસંગભાઇ બારીયા રહે લીમપુરા તા. તિલકવાડા જી નર્મદાનાઓ પોતાની મો.સા નં GJ-22-B-7492 કિ.રૂ ર૦,૦૦૦/-ની લઇને પોતાના ખેતરે ચાર લેવા ગયેલા અને વરસાદ પડેલ હોય ખેતરે મો.સા નહીં જતા રોડની કિનારી ઉપર પાર્ક કરી ખેતરે જતા આ દરમ્યાન કોઇ ચોર ઇસમે ચોરી કરી લઈ ગયેલ હોઈ જે બાબતની ફરીયાદ તિલકવાળા પો.સ્ટે.માં રજીસ્ટર કરવામાં આવેલ હતી સદર ગુનો અનડીટેક હોય નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ કેવડીયાના વાણી દૂધાતના માર્ગદર્શન મુજબ અનડીટેક ગુનો ડીટેક કરવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે કો જીતેન્દ્રભાઇ જવાહરભાઈ નાઓને બાતમી મળેલ કે દેવલીયા ચોકડી પાસેથી એક ઇસમ ચોરીની મો.સા લઇને પસાર થવાનો હોઇ જે બાતમીના આધારે દેવલીયા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળી મો.સા આવતા ત્યાં જ ઉભો રાખી ઇસમનુ નામ પુછતા અર્જુનભાઇ ઉર્ફે મુન્દ્રો કાલીદાસ વસાવા ઉ.વ ૧૮ રહે બુજેઠા નવી નગરી તા તિલકવાડા જી નર્મદાનો હોવાનું જણાવી મળેલ મો.સા ચોરી કરેલાની કબુલાત કરતા આરોપી ને ઝડપી પાડી તિલકવાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.