રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
સમાધાન કારી કેસો નુ નિરાકરણ કરી અદાલતો મા ચાલતા કેસો નુ ભારણ ઓછું કરવાનો પ્રયાસ
ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી એન.પી.ચૌધરીનાં અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં તા.૧૦ મી જુલાઇ,૨૦૨૧ ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, લગ્ન વિવાદો (છૂટાછેડા સિવાયના કેસો), જમીન સંપદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસૂલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ, ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઇ હુકમ, અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મુકી શકાશે.
તદ્અનુસાર નેશનલ લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-નર્મદા, ફોન.નં-૦૨૬૪૦-૨૨૦૨૯૪ અથવા જે તે તાલુકાની કાનૂની સેવા સમિતિની કચેરીઓ એટલે કે રાજપીપલા માટે ફોન.નં-૦૨૬૪૦-૨૨૦૨૯૪, દેડીયાપાડા તાલુકા માટે ફોન.નં-૦૨૬૪૯-૨૩૪૦૦૪, સાગબારા તાલુકા માટે ફોન.નં-૦૨૬૪૯-૨૫૫૨૫૦, તિલકવાડા તાલુકા માટે ફોન.નં-૦૨૬૬૧-૨૬૬૧૨૩ તેમજ ગરૂડેશ્વર તાલુકા માટે ફોન.નં-૦૨૬૪૦-૨૩૭૦૪૪ નો સંપર્ક સાધવા સચિવશ્રી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નર્મદા-રાજપીપલા તરફથી જાણવા મળ્યું છે.