ડભોઇ જુમ્મા મસ્જિદ ખાતે હજરત અલીની શાહદતના મોકા પર સમુહ ઈફતારીનું આયોજન કરાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :

મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન મહિના ના આજે એક વીસ મા રમઝાન રોજા ના દિવસે શહાદતે સૈયદના હઝરત મૌલા અલી શેરે ખુદા ( ર.અ.) મોકા ઉપર ડભોઇ જામા મસ્જિદ ખાતે તકરીરી જલસો રાખવામાં આવ્યો હતો. અને સમૂહમાં ઇફતારી પાર્ટીનો પણ કાર્યક્રમ યોજાયો હતો.

મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર રમઝાન માસ મા 14 કલાક સુધી ભૂખ્યા, તરસ્યા રહી ને ખુદાની ઈબાદત કરતા આજે 21 માં રમજાન રોજા ના દિવસે શહાદતે હઝરત સૈયદ મૌલા અલી રદી અલ્લાહો અનહો ના મોકા ઉપર ડભોઇ જુમ્મા મસ્જિદ ખાતે મૌલાના અનવર અશરફી દ્વારા તકરીર જલસો યોજાયો હતો જેમાં જણાવ્યું હતું કે મોહમ્મદ સરકાર ના જમાઈ અને હસનેન કરીમેન ના વાલીદ હઝરત સૈયદના મૌલા અલી શેરે ખુદા જેઓએ પોતાનું જીવન અલ્લાહ ના લીધે ઈબાદત કરી અને ઇસ્લામ ના ખાતીર ઇસ્લામ ને બચાવવા માટે પુરા પરિવાર ને કરબલા મેદાન માં શહીદ થઈ ગયા પણ જેમને અલ્લાહ ની ઈબાદત કરી અને નમાજ અદા કરી હજરત સૈયદ મૌલા અલી શેરે ખુદા રમજાન હિજરી એકવીસ માં આ ફાની દુનિયા નું ત્યાગ કરી પોતાના રબ અલ્લાહ ની બારગાહ માં જતા રહ્યા તેમજ ત્રીજા તબક્કામાં પહોંચેલા પવિત્ર રમજાનની બરકત અંગે બયાન કર્યું હતું. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એ લાભ લીધો હતો તેમજ ઈફતારી સમયે રોજદારો માટે ઈફતારી પાર્ટી નું સુંદર રીતે મૌલાના અનવર અશરફી અને તેઓની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સમૂહમાં ઈફતારી પાર્ટીમાં રોજદારો જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here