ડભોઇ ખાતે મન્સૂરી પીંજારા-વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમસ્ત મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન યોજાયો જેમાં 10 નવયુગલ જોડાઓએ લગ્નગ્રંથીથી જોડાઇ પ્રભુતામાં પગલાં માંડ્યા

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ દશાલાડ વાડી ખાતે મન્સૂરી પીંજારા- વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા સમસ્ત મુસ્લિમ સમાજ નું સમૂહ લગ્ન યોજાયો હતો.જેમાં ડભોઈ અને નજીક ના અન્ય ગામડાઓ માંથી આવેલ દશ નવ યુગલો લગ્નગ્રંથિ માં જોડાઈ પ્રભુતામાં પગલાં માંડ્યાં.
જ્યારે આ સુભ પ્રસંગે મુફ્તી ઇબ્રાહીમ સાહેબ,મોલાના અનવર સાહેબ,મોલાના સદ્દામ સાહેબ,સૈયદ સૈફુદ્દીન સાહેબ, શશીકાંતભાઈ પટેલ અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ અલ્તાફભાઈ મન્સૂરી, શહીદ ભાઈ લોટ વાળા, ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ડભોઇના મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહી આ પ્રસંગની શોભા વધારી હતી.
સાથે સમૂહ લગ્નના કાર્યક્રમની શરૂઆત મૌલાના સદ્દામ સાહેબે કુરાન શરીફ નું પઠન કરી શરૂઆત કરી હતી તેમજ આવેલા અતિથિઓએ પણ આવેલા મહેમાનોને સંબોધતા પ્રવચન કર્યા હતા જેમાં ખાસ કરીને લોકોને સમૂહ લગ્ન યોજવાનો હેતુ સમજાવ્યો હતો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારવા પ્રેરણા આપી હતી સાથે સમાજમાં થતાં કુરિવાજો નુ દુષણ દુર કરવા અને ખોટા ખર્ચા ન કરવા ટકોર કરી હતી.
સાથે મન્સૂરી પીંજારા સમાજ ટ્રસ્ટ દ્વારા કન્યાઓને તિજોરી પલંગ ગાદલા કિચન સેટ વાસણો વગેરે કરિયાવર માં આપ્યું હતું. તેમજ મન્સૂરી પીંજારા સમાજના ટ્રસ્ટીઓએ આવેલ તમામ અતિથિઓ નો સ્વાગત કરી આભાર વ્યકત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here