ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-
એકલવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ડભોઈ દ્વારા ત્રીજો સમૂહ લગ્ન પટેલવાડી ખાતે યોજાયો હતો. નવ દમંતીઓને આશીર્વાદ પાઠવવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
સમાજમાં ખોટા ખર્ચ લગ્ન પ્રસંગોમાં થતા હોય ખોટા ખર્ચ રોકવા માટે સમાજ દ્વારા સમુહ લગ્ન પ્રસંગનું સુંદર આયોજન એકલવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ ડભોઈ દ્વારા ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ પટેલ વાડી ખાતે પ્રમુખ અરવિંદભાઈ એસ વસાવા અને તેમની ટીમ દ્વારા યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે બાબા આંબેડકર ચોક ખાતે તમામ દુલ્હા દુલ્હનો અને જાન સાથે સમાજના આગેવાનો બેન્ડ બાજા અને નૃત્ય કરતા વરઘોડાના ભાગરૂપે પટેલ વાડી પહોંચ્યા હતા. ત્યારબાદ સાત જેટલા નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ અને ગોપાલભાઈ રબારી વિગેરે મહાનુભવો દ્વારા નવ દમંતીઓને આશીર્વાદ પાઠવવા હાજર રહ્યા હતા. સમાજમાં ખોટા કુળ રિવાજો દૂર કરી એક જ સામ્યના હેઠળ સમૂહ લગ્ન નું સુંદર આયોજન વસાવા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.