ઘોઘંબા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગુણેશીયા ગામે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ હતી.આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા રાજ્ય સરકારશ્રીની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરશ્રીએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.
રાત્રીસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે.આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. કે. બારિયા,અધિક કલેક્ટરશ્રી પ્રાયોજના ડી.આર.પટેલ,હાલોલ પ્રાંત અધિકારીશ્રી મયુર પરમાર,મામલતદારશ્રી,જિલ્લા અને તાલુકાના સંકલનના અધિકારીશ્રીઓ સહિત ગ્રામ લોકો હાજર રહ્યા હતા.