છોટાઉદેપુર, ચારણ એસ વી :-
અત્યાર સુધીમાં કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરાયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે તા. ૧૨/૦૪/૨૦૨૪ થી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઇ ચુકી છે.
જે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છેલ્લા દિવસે તા. ૧૯/૦૪/૨૦૨૪ ને શુક્રવારના રોજ ૭ ઉમેદવારી પત્રો રજૂ કરાયા છે. જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે હેમંતકુમાર સુખરામભાઈ રાઠવાએ બે ઉમેદવારી પત્રો, સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાએ બે ઉમેદવારી પત્રો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જશુભાઈ ભીલુભાઈ રાઠવાએ એક ઉમેદવારી પત્ર, ભારતીય બહુજન કોંગ્રેસના ઉમેદવાર તરીકે રણછોડભાઈ શનાભાઈ તડવીએ એક ઉમેદવારી પત્ર અને અપક્ષ ઉમેદવાર તરીકે મુકેશભાઈ નુરાભાઈ રાઠવાએ એક ઉમેદવારી પત્ર રજૂ કરીને ઉમેદવારી નોંધાવી હતી. આમ, ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગ માટે કુલ ૧૮ ઉમેદવારી પત્રો રજૂ કરાયા છે.