૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગના જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષ કુમાર એસ. લોકોને મળી શકશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે કોઈપણ સમસ્યા હોય તો જનરલ ઓબ્ઝર્વરશ્રીને નિયત સમયે મળી શકાશે

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨૧-છોટાઉદેપુર લોકસભા મતદાર વિભાગમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે ડૉ.સતીષ કુમાર એસ. (આઈ.એ.એસ.)ની નિમણુંક કરવામાં આવી છે.
લોકસભા સામાન્ય ચુંટણી અનુસંધાને જાહેર જનતાને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે કોઈપણ સમસ્યા હોય તો તેઓ જનરલ ઓબ્ઝર્વરશ્રી ડૉ. સતીષ કુમાર એસ.ને સવારના ૧૦-૦૦ થી ૧૧-૦૦ કલાક દરમિયાન સર્કીટ હાઉસ, ઓબ્ઝર્વર કંટ્રોલરૂમ, છોટાઉદેપુર ખાતે મળી શકશે. આ ઉપરાંત મતદાતાઓ જનરલ ઓબ્ઝર્વરશ્રીના વ્યકિતગત મોબાઈલ નંબર – ૯૦૧૬૩ ૮૭૦૪૩ અથવા મતદાતા ફરિયાદ નિવારણ ટેલીફોન નંબર – ૦૨૬૬૯-૨૯૯૨૬૨ ઉપર પણ તેમનો સંપર્ક કરી શકશે જેની સબંધિતોને નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here