બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જોજવા અને ઠેબર પુરા ગામ વચ્ચે પુલ નવો મંજુર થતા સંખેડા તાલુકાના ધારાસભ્ય અભેસિંગભાઈ ચાર વર્ષ આ પુલની રજૂઆત કરતા હતા આખરે આ પુલ રૂપિયા ૩૬.૩૬ કરોડના મંજૂરી મળી જતા જેથી લઈને બારીયા સમાજ ની બહુમૂલ્ય વસ્તી ધરાવતા જોજવા ઢેબરપુરા ગામના તેમજ ૪૦ થી ૫૦ ગામોના લોકો ને આનંદ ની લાગણી થઇ હતી જ્યારે પ્રસંગમાં જવામાં આવતું ત્યારે ૨૦ થી ૨૫ કિલોમીટર નો ફરાવ થતો હતો અને ઈંધણ તેમજ નાના નો દુર ઉપયોગ પણ થતો હતો અને સમય પણ બરબાદ થતો હતો જેથી અવર નવર અહીંના લોકો પુલ બનાવવાની માંગ કરતા હતા અને આ નવીન પુલ ની મંજૂરી મળી જતા ગામલોકોને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.