છોટાઉદેપુર, સકીલ બલોચ :-
બોડેલી નર્મદા મુખ્ય કેનાલના પાણીમાં તણાતા જીવિત વ્યક્તિને બચાવવા પોતાની તથા પોતાના પરિવારની પરવા કર્યા વગર ધસમસતા પાણી ના પ્રવાહમા ઝંપલાવ્યું
આજરોજ બપોરના બે વાગ્યાના સુમારે બોડેલી સેવાસદન પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં અજાણ્યો આધેડ જીવિત તણાતો હોય બોડેલી સી પી આઇએ પોતાના પરિવારની પરવા કર્યા વગર અજાણ્યા આધેડ વ્યક્તિને બચાવવા કેનાલના ધસમસતા પાણી ના પ્રવાહ ઝંપલાવ્યું પરંતુ
કોઈ બીજા સપોર્ટ ન મળતા એસ.બી વસાવા જીવિત વ્યક્તિને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ સ્થળે જઈ વ્યક્તિને પાણીની બહાર કાઢી પરંતુ વ્યક્તિ મૃત પામેલી હાલતમાં હતો.
બોડેલી પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી દેવામાં આય્વી છે.
વ્યક્તિ ક્યાંનો છે કોણ છે પાણીમાં કેવી રીતે પડ્યો તે બાબતની વધુ તપાસ બોડેલી પોલીસ ચલાવી રહી છે.
પોતાની નજરો ની સામે તણાતા જીવિત વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કરતા બચાવી ન શક્યાનો દુઃખ વ્યક્ત કરતા..એસ.બી વસાવા…