આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મહાવીર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી પ.પુ આચાર્ય ભગવંત શ્રી લલીત સેન સુરીશ્વરજી મ.સા,પ.પુ.આચાયૅ ભગવંત શ્રી અરૂણપ્રભ સુરિસ્વરજી મ.સા. તથાબાલ મુનિશ્રીસુદશૅન વિજય મ.સા.ની શુભ પાવન નિશ્રામાં ખુબ ઉત્સાહપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા વહેલી સવારે બોડેલીના રાજમાર્ગો પર પ્રભાતફેરી, ગુરુ ભગવંતોનુ વ્યાખ્યાન તેમજ રાત્રે 108 દીવાની આરતી વિગેરે કાયૅક્રમોનુ આયોજન શ્રી બોડેલી જૈન સંધ દ્વારા કરવામાં આવ્યું હતુ મહાવીર જયંતિ નિમિત્તે બોડેલી તેમજ આજુબાજુના ગામોના જૈન સમાજના અગ્રણીઓ સહિત ભક્તજનો મોટી સંખ્યામાં જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું (ફોટો વિગત): બોડેલી ખાતે મહાવીર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.