છોટાઉદેપુર ખાતે ભગવાન શ્રી પ્રગટ પુરુષોત્તમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર નગરમાં પેલેસ રોડ લો કોલેજ પાસે ભગવાન પ્રગટ પુરસોત્તમ ભગવાનનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ તા ૨૪/, ૨૫/૨૬ ફેબ્રુઆરી ના રોજ યોજવા જય રહ્યો છે. જેમાં રાજ્યસભા સાંસદ નારણભાઈ રાઠવા સહિત જિલ્લાના હજારો હરિભક્તો ઉત્સાહ સહિત ભાગ લઈ રહ્યા છે. અને ભક્તિ, તથા ધર્મના આ કામમાં ઉમંગભેર ભાગ લઈ રહ્યા છે. શ્રી બાકરોલ ધામ અંતર્ગત છોટાઉદેપુર શહેરની મધ્યે ભગવાન પ્રગટ પુરષોત્તમનું મંદિરનું નિર્માણ થયેલ છે. જેમાં ભાદરણ નિવાસી પુરસોત્તમ ભગવાન, નારાયણમુની ભગવાન, તથા બાકરોલ નિવાસી પ્રગટ ડાહ્યાભાઈ ભગવાનની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ત્રણ દિવસ વિધિવત રીતે કરવામાં આવશે. યોજાનાર કાર્યક્રમમાં તા ૨૪ ના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાયજ્ઞ, મહાપ્રસાદ, આરતી, સુખ પાવની પ્રસાદ, ઓડીઓ સીડી વિમોચન યોજાશે તથા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તા ૨૫ ના રોજ ૧૧ કુંડી પુરસોત્તમ યજ્ઞ, સુખ પાવની પ્રસાદ, દિવ્ય દર્શન અને તા ૨૬ ના રોજ આરતી, કથા સત્સંગ, મહાપ્રસાદ, કીર્તન, આરાધના તથા શોભાયાત્રા કાઢવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here