છોટાઉદેપુર, ચારણ એસ વી :-
રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આગામી તા.૨૧/૦૨/૨૪ બુધવારના રોજ તાલુકા કક્ષાનો તથા તા.૨૨/૦૨/૨૪ ગુરુવારના રોજ જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે. આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ કરવામાં આવશે.
કલેકટરશ્રી, છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં ભાગ લેવા માંગતા અરજદારો પોતાના પ્રશ્નો તા.૧૦,૦૨.૨૪ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મારફતે ગ્રામ પંચાયત અધિકૃત ઇ-મેલ આઈ.ડી પર ejillaswagatchho@gmail.com ઇ-મેઇલથી ઓનલાઇન મોકલી આપવી.