ચૂંટણીઓની જાહેરાત થતાંજ નર્મદા જિલ્લામાં “સેવા સેતૂ” ના સરકારી કાર્યક્રમો મોકુફ કરાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય ચૂંટણી પંચ ધ્વારા માહે ડિસેમ્બર,૨૦૨૧ ના માસમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય તથા વિભાજન/મધ્યસ્થ/પેટાચૂંટણીના અનુસંધાને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. જેથી હવે પછી નર્મદા જિલ્લામાં યોજાનાર “સેવા સેતૂ” કાર્યક્રમો આચારસંહિતા અમલમાં હોય ત્યાં સુધીના તમામ “સેવાસેતૂ” કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યાં છે, જેની નર્મદા જિલ્લાની જાહેર જનતાને તેમજ સંબંધિત અધિકારીશ્રીઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રી, નર્મદા-રાજપીપલા દ્વારા તમામ ને જન કરવામાં આવી છે. ચૂંટણીઓ જાહેર થતાં જ પ્રજા લક્ષી સરકારી કાર્યક્રમો પર આમ લગામ લગાવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here