નર્મદા જીલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી-૨૦૨૧ ને અનુલક્ષી દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનો આદેશ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દિન સાત મા જ હથિયારો જમા કવાવવા નો આદેશ

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોઇ, નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૩/૧૧/૨૦૨૧ થી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી એક જાહેરનામાના અમલ ધ્વારા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને તેમના હથિયારો સંબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ કરેલ છે.
સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા સંબંધે ભારતના બંધારણની જોગવાઈ હેઠળ શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી મતદાન માટે તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજવા નિવારક પગલાંના ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવાની જરૂરિયાત લક્ષમાં લઈ તેમજ સદર ચૂંટણી દરમિયાન હથિયારો દ્વારા બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી પર મનાઈ ફરમાવવી જરૂરી હોઈ, જાહેર શાંતિ અને સલામતીની જાળવણી તેમજ ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં રહેતા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને તેમની પાસેના પરવાનાવાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પડ્યાની તારીખથી દિન–૭ માં જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવા અને સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ કર્વાટરએ સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં રહેતા હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યકિતઓના હથિયાર કે હથિયારો જમા કરાવવા આવે તે માટે જરૂરી પગલાં લેવા તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને કરવાનો હુકમ કર્યો છે.
તદ્અનુસાર, આ આદેશ નર્મદા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએ તેમજ ભારત દેશના કોઈ પણ રાજયના કોઈ પણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે. તેમજ આ આદેશ સમગ્ર નર્મદા જિલ્લામાં કોઈપણ વિસ્તારમા રહેતા અથવા નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાનાધારકોને પણ લાગુ પડશે. હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી એટલે કે તા.૨૪/૧૨/ર૦૨૧ સુધી પરવાનાધારકને કરી શકશે નહી. સંબંધિત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.૨૪/૧૨/ર૦૨૧ પછી પરત કરવાનું રહેશે અને તેમના માટે કોઈ અલગ હુકમની જરૂરત રહેશે નહીં.
જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થયેલ હોય અને રીન્યુઅલ અર્થે અત્રેની કચેરીમાં કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજુ કર્યાની સંબંધિત કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.
ચૂંટણી પ્રક્રિયા શરૂ થયેલ હોઈ, યોગ્ય સમયમાં નોટીસ બજાવી શકાય તેમ ન હોઈ અને સુનાવણી આપવાનું શક્ય ન હોઈ ઉક્ત પેરામાં જણાવેલ હુકમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ–૧૪૪ હેઠળ જાહેર કરાયેલ છે.
નર્મદા જિલ્લામાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ(બેંક, કોર્પોરેશન સહિત), સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજય કે રાષ્ટ્રીય લેવલની શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવતા તથા માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સરકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ–દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડ, આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. ભારત સરકાર તેમજ રાજય સરકારના આધિકારીઓ /કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાએ ખાસ પરવાનગી આપેલ હોય તેવા હથિયાર પરવાનેદારોને ઉક્ત જાહેરનામાના અમલમાંથી મુક્તિ આપવામાં આવી છે. હથિયાર પરવાનેદારોએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના રહેશે, તેના કાર્ટીસ/ દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.
આ આદેશનું પાલન નહીં કરનાર શસ્ત્ર અધિનિયમ, ૧૯પ૯ની કલમ – રપ હેઠળ તેમજ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ – ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.

ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ હોઇ, નર્મદાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૩/૧૧/૨૦૨૧ થી તા.૨૪/૧૨/૨૦૨૧ સુધી એક જાહેરનામાના અમલ ધ્વારા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને તેમના હથિયારો સંબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ કરેલ છે.
સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા સંબંધે ભારતના બંધારણની જોગવાઈ હેઠળ શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી મતદાન માટે તેમજ ચૂંટણી શાંતિપૂર્ણ, મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજવા નિવારક પગલાંના ભાગરૂપે વિવિધ પગલાંઓ લેવાની જરૂરિયાત લક્ષમાં લઈ તેમજ સદર ચૂંટણી દરમિયાન હથિયારો દ્વારા બળ પ્રદર્શન તેમજ શસ્ત્રોની હેરાફેરી પર મનાઈ ફરમાવવી જરૂરી હોઈ, જાહેર શાંતિ અને સલામતીની જાળવણી તેમજ ચૂંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં રહેતા દરેક પ્રકારના હથિયારોના પરવાનેદારોને તેમની પાસેના પરવાનાવાળા દરેક પ્રકારના હથિયાર કે હથિયારો આ જાહેરનામું બહાર પડ્યાની તારીખથી દિન–૭ માં જિલ્લાના સંબંધકર્તા પોલીસ સ્ટેશન ખાતે અનામત જમા કરાવી દેવા અને સંબંધકર્તા પોલીસ સ્ટેશનોએ તથા પોલીસ હેડ કર્વાટરએ સંબંધિત પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં રહેતા હથિયાર પરવાનો ધરાવતા તમામ વ્યકિતઓના હથિયાર કે હથિયારો જમા કરાવવા આવે તે માટે જરૂરી પગલાં લેવા તેમજ તમામ હથિયારો જમા થઈ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને કરવાનો હુકમ કર્યો છે.
તદ્અનુસાર, આ આદેશ નર્મદા જિલ્લામાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએ તેમજ ભારત દેશના કોઈ પણ રાજયના કોઈ પણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે. તેમજ આ આદેશ સમગ્ર નર્મદા જિલ્લામાં કોઈપણ વિસ્તારમા રહેતા અથવા નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાનાધારકોને પણ લાગુ પડશે. હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં સુધી એટલે કે તા.૨૪/૧૨/ર૦૨૧ સુધી પરવાનાધારકને કરી શકશે નહી. સંબંધિત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.૨૪/૧૨/ર૦૨૧ પછી પરત કરવાનું રહેશે અને તેમના માટે કોઈ અલગ હુકમની જરૂરત રહેશે નહીં.
જે હથિયાર પરવાનાઓની મુદત પૂર્ણ થયેલ હોય અને રીન્યુઅલ અર્થે અત્રેની કચેરીમાં કે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુ અરજી રજુ કર્યાની સંબંધિત કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમાં સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવાના રહેશે.
ચૂંટણી પ્રક્રિયા શરૂ થયેલ હોઈ, યોગ્ય સમયમાં નોટીસ બજાવી શકાય તેમ ન હોઈ અને સુનાવણી આપવાનું શક્ય ન હોઈ ઉક્ત પેરામાં જણાવેલ હુકમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તેમને મળેલી સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ–૧૪૪ હેઠળ જાહેર કરાયેલ છે.
નર્મદા જિલ્લામાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ(બેંક, કોર્પોરેશન સહિત), સ્થાનિક સ્વરાજ્યના સંસ્થાના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજય કે રાષ્ટ્રીય લેવલની શૂટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન તરીકે પરવાનો ધરાવતા તથા માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સરકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ–દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિકયુરીટી ગાર્ડ, આવા સિકયુરીટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેન્ક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે. ભારત સરકાર તેમજ રાજય સરકારના આધિકારીઓ /કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નર્મદાએ ખાસ પરવાનગી આપેલ હોય તેવા હથિયાર પરવાનેદારોને ઉક્ત જાહેરનામાના અમલમાંથી મુક્તિ આપવામાં આવી છે. હથિયાર પરવાનેદારોએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં પરવાનાવાળા હથિયારો જમા કરાવવાના રહેશે, તેના કાર્ટીસ/ દારૂગોળો જમા કરાવવાની જરૂર નથી.
આ આદેશનું પાલન નહીં કરનાર શસ્ત્ર અધિનિયમ, ૧૯પ૯ની કલમ – રપ હેઠળ તેમજ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ – ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here