ભરૂચ ખાતે નવનિર્મિત ચેરિટી કમિશનરની કચેરીનું કાયદા મંત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચ, આશિક પઠાણ (રાજપીપળા) :-

ગુજરાત સરકાર ના કાયદા વિભાગ હસ્તકના ચેરિટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભરૂચ ખાતે નવનિર્મિત “ ચેરિટી ભવન ” નું ગુજરાત રાજયના માનનીય કાયદા અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ના વરદહસ્તે રીબીન કાપી તકતીનું અનાવરણ કરી ચેરિટી ભવન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાયુક્ત અને આધુનિક ચેરિટી ભવન કચેરીના નિર્માણથી પ્રજાના લોક ઉપયોગી કાર્યો ઝડપથી પૂર્ણ થશે તથા પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ થશે અને લોકોના નાણાંથી ચાલતાં તમામ ધર્મ સ્થાનોની નોંધણી સરળતાથી થશે.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, કાયદા સચિવ મિલન દવે, જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરા, ચેરિટી કમિશનર વાય.એમ.શુકલ તથા કાર્યકર્તા તથા વકીલ મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here