ગોધરા, (પંચમહાલ) ,ઈશહાક રાંટા :-
આથી જાહેર જનતાને જણાવવાનું કે,તા-૦૫/૦૯/૨૦૨૨ ના રોજ ગોધરા શહેર ખાતે ગણેશ વિસર્જન શોભાયાત્રા નીકળનાર હોઈ ગોધરા શહેરના તમામ રોડ ઉપર ટ્રાફીક જામની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેલ છે.ગોધરા લાલબાગ બસ સ્ટેશન શહેરની મધ્યમાં આવેલ હોવાથી બસોના સંચાલનના કારણે ટ્રાફીક જામ ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મા.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પંચમહાલ, ગોધરા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર તા.૦૫/૦૯/૨૦૨૨ ના રોજ સવારના ૦૮.૦૦ કલાકથી સાંજના ૧૭:૦૦ કલાક સુધી કામચલાઉ ધોરણે એક દિવસ માટે લાલબાગ એસ.ટી.બસ સ્ટેન્ડને વિભાગીય માંત્રાલય સામે,ગોધરા ડેપો વર્કશોપ, અમદાવાદ રોડ ખાતે ખસેડવામાં આવેલ છે જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે તેમ વિભાગીય નિયામક એસ.ટી.ગોધરા પંચમહાલે એક અખબારી યાદીમા જણાવેલ છે.