ગોધરા બસ સ્ટેશન ખાતે ભવાઈ થકી મુસાફરોને તા.૭ મે ના રોજ અચૂક મતદાન કરવા કરાયો અનુરોધ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટરશ્રી આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ માધ્યમો થકી મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં જોડાય તે માટે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમો પૈકી આજરોજ ગોધરા સ્થિત બસ સ્ટેશન ખાતે નાટક-ભવાઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

ગોધરા બસ સ્ટેશન ખાતે નાટક-ભવાઈ એવા લોકકળાના માધ્યમથી મતદાર જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંપરાગત માધ્યમના કલાકારોએ મતદાન જાગૃતિનો સંદેશ પાઠવતું પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.મનોરંજન સાથે કલાકારોએ આગામી ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે તમામને હાકલ કરી હતી તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ નાગરિકોને મતદાન અવશ્ય કરવા શપથ લેવડાવ્યા હતા.આ તકે એસ.ટી વિભાગના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here