કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આજરોજ કાલોલ વિધાનસભા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશભાઇ બારીયા એ પોતાના સમર્થકો ઢોલ નગારા સાથે રેલી કાઢી ઉમેદવારી નોંધાવી હતી અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાલોલ મામલતદાર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતું આજરોજ દિનેશભાઇ બારીયાએ ઉમેદવારી નોંધાવી તે વિશે સવાલ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જનતા બદલાવ ઈચ્છે છે અને કાલોલ વિધાનસભામાં પણ પ્રજા બદલાવ માંગે છે અને અમારા સાથે સંગઠન ની શક્તિ અને ભારી સમર્થકો સાથે કાલોલ વિધાનસભાના પ્રજાજનો ના વિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવી છે મને વિશ્વાસ છે કે કાલોલ વિધાનસભાની પ્રત્યેક જનતા મારા ઉપર વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી જીતાડશે..